પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
વડા પ્રધાન કિસાન માન ધન યોજના (PM-KMY) એ ભારત સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી એક
સ્વૈચ્છિક પેન્શન યોજના છે.
નાના અને સીમાંત ખેડુતોને આજીવિકા માટે કોઈ સાધન ન હોય અને
તેમના ખર્ચ માટે નજીવી અથવા બચત ન હોય તે કિસ્સામાં તેમની વૃદ્ધાવસ્થામાં સામાજિક
સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી સરકારે 12.9.2019 ના રોજ વડા પ્રધાન કિસાન માન ધન યોજના (પીએમ-કેએમવાય) શરૂ
કરી છે.
વધુ જુઓ :પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
મુખ્ય લાભો:
- 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછા રૂ. 3000નું નિશ્ચિત માસિક પેન્શન.
- ખેડૂતો અને સરકાર બંને પેન્શન ફંડમાં સમાન
ફાળો આપે છે (રૂ. 55 થી રૂ. 200 પ્રતિ મહિનો).
આ યોજના હેઠળ, નાના અને
સીમાંત ખેડુતોને 60 વર્ષની વય પ્રાપ્ત કરવા પર, અમુક બાકાત માપદંડોને આધિન, ઓછામાં ઓછું રૂ. 3000/- નું નિશ્ચિત
પેન્શન આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે. પાત્રતા
ધરાવનાર ખેડૂતને પ્રવેશ સમયની વયના આધારે દર મહિને રૂ 55 થી રૂ 200 ની વચ્ચે
પેન્શન ફંડમાં ફાળો આપવો જરૂરી છે. કેન્દ્ર સરકાર પણ પેન્શન ફંડમાં સમાન રકમનો
ફાળો આપે છે.
પાત્રતા
- નાના અને સીમાંત ખેડૂત
(એસ.એમ.એફ.) - ખેડૂત જેની પાસે સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના જમીન
રેકોર્ડ મુજબ 2 હેક્ટર સુધીની ખેતીલાયક
જમીન છે.
- 18-40 વર્ષની ઉંમર
અપાત્રતા:
યોજના માટે પાત્રતા ન ધરાવતા ખેડુતો
નીચેના વર્ગના ખેડુતોને બાકાત માપદંડ હેઠળ બાકાત
રાખવામા આવેલ છે.
- જે ખેડૂતો અન્ય કોઈ સામાજિક સુરક્ષા યોજનાઓ
(જેમ કે NPS, EPFO)
હેઠળ આવરી લેવાયેલા છે.
- જે ખેડૂતો PM-SYM અથવા PM-LVM યોજનામાં સામેલ છે.
- ઉચ્ચ આર્થિક દરજ્જાના ખેડૂતો (સંસ્થાકીય
જમીન ધારકો, રાજકારણીઓ, સરકારી કર્મચારીઓ, આવકવેરો ભરનારા વ્યક્તિઓ, વ્યવસાયિકો).
- રાષ્ટ્રીય પેન્શન યોજના
(એનપીએસ), કર્મચારીઓની રાજ્ય વીમા
નિગમ યોજના, કર્મચારી ભંડોળ સંગઠન
યોજના વગેરે જેવી અન્ય કોઈપણ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલા
એસ.એમ.એફ.
- મજૂરી અને રોજગાર મંત્રાલય
દ્વારા સંચાલિત વડા પ્રધાન શ્રમ યોગી માન ધન યોજના (પીએમ-એસવાયએમ)ની પસંદગી
કરનારા ખેડૂતો.
- મજૂરી અને રોજગાર
મંત્રાલય દ્વારા સંચાલિત વડા પ્રધાન લઘુ વ્યાપારી માન-ધન યોજના
(પીએમ-એલવીએમ)ની પસંદગી કરનારા ખેડૂતો.
- વધુમાં, ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓની નીચેની
કેટેગરીઓ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં:
- બધા
સંસ્થાકીય જમીન ધારકો; અને
- બંધારણીય
પદના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો
- પૂર્વ
અને હાલના મંત્રીઓ / રાજ્યના પ્રધાનો અને લોકસભા / રાજ્યસભા / રાજ્ય
વિધાનસભાઓ / રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ / વર્તમાન સભ્યો, મહાનગરપાલિકાઓના ભૂતપૂર્વ અને હાલના મેયર, જિલ્લા પંચાયતના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષો.
- કેન્દ્ર
/ રાજ્ય સરકારના મંત્રાલયો / કચેરીઓ / વિભાગો અને તેમના ક્ષેત્રના એકમો, કેન્દ્ર અથવા રાજ્ય પી.એસ.ઇ. અને સરકારની હેઠળ
જોડાયેલી કચેરીઓ / સ્વાતંત્ર સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારી
(મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / વર્ગ IV/ ગ્રુપ ડી કર્મચારીઓ ને બાદ કરતાં) સે અથવા નિવૃત્ત
અધિકારીઓ અને કર્મચારીઓ.
- બધા
વ્યક્તિઓ કે જેમણે છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભર્યો હોય.
- ડોકટરો, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અને આર્કિટેક્ટ્સ જેવા વ્યવસાયિકો જે વ્યવસાયિક
સંસ્થાઓ સાથે નોંધાયેલા છે અને પોતાનો વ્યવસાય ચલાવતા હોય.
અરજી પ્રક્રિયા:
- સ્વ-રજીસ્ટ્રેશન ઓનલાઇન અથવા સામાન્ય સેવા
કેન્દ્રો (CSC) દ્વારા.
- CSC દ્વારા નોંધણી કરાવવા માટે રૂ. 30 ફી.
વધુ માહિતી માટે PM-KMY પોર્ટલની મુલાકાત લો.
આ યોજનામાં નિશુલ્ક નોંધણી
સ્વ-રજીસ્ટ્રેશન દ્વારા અથવા વિવિધ રાજ્યોમાં સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા કરી
શકાય છે.
સ્વ-રજીસ્ટ્રેશનમાટે અહીં ક્લિક કરો.
નોંધણી માટે ખેડુતો તેમના
નજીકના સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) ની મુલાકાત લઈ શકે છે. સામાન્ય સેવા કેન્દ્રો નોંધણી દીઠ રૂ
.30 / - વસૂલ લેશે જે સરકાર દ્વારા ભોગવવામાં આવશે.

.png)